સોમવાર, 2 ડિસેમ્બર, 2013

પ્રવાહી કાળને સુંક્ષુબ્ધ બનતાં વાર  લાગે છે
અમસ્તી વાતને ક્યાં યુદ્ધ બનતાં વાર લાગે છે

કોઈ વયના વિસામા પર યુવાની હાથ છોડે છે
યુવાની જાય છે પણ વૃદ્ધ બનતાં વાર લાગે છે

લખોટી જેવડી આ ક્ષણ બધી રમવા નિમંત્રે,પણ
ફરી બાળકની માફક મુગ્ધ બનતાં વાર લાગે છે

જઈ વનમાં કોઈ પણ ઝાડ નીચે બેસવું સહેલું
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે

સમય કે સ્થળ,દિશા,અવકાશ,જાત્રા કે સમાધિથી,
કે અશ્રુજળથી જીવન શુદ્ધ બનતાં વાર લાગે છે

કશું પાસે ન હો ઝાઝું,કશાની ખેવના ના હો
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે

                             -ડો .રઈશ મનીઆર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો