રમણમહર્ષિની કૃતિઓનું સંચયન



          !!!!!!!!!!!!..  શ્રી રમણ મહર્ષિ  ......!!!!!!!!!!!! 
                              હું કોણ છું ?
                  *તમારી સહજ અવસ્થામાં  રહો
 * મૌનના હૃદયમાં ઉત્પન્ન થતી વાણી અનુગ્રહની અવસ્થા છે .

 હે દિવ્ય શંકર
આપ દ્રષ્ટા અને દ્રશ્યનું જ્ઞાન ધરાવતા પરમ દ્રષ્ટા છો  .
મારી અંદર દ્રશ્ય સાથે  જોડાયેલા દ્રષ્ટાનો નાશ કરો  .
કારણ કે એ રીતે  મનમાં કેવળ શિવ તરીકે પ્રકાશ ઉત્ત્પન્ન થાય છે


* જેમાં સંપૂર્ણ વિશ્વ સ્થિરતાપૂર્વક રહે છે,જે બધા લોકોનો
    માલિક છે ,જેનાથી બધા લોકો ઉત્પન્ન થાય છે,જેને કારણે
   આ બધા લોકો સત્તા પ્રાપ્ત કરે છે અને જે સર્વરૂપ છે, કેવળ
   એ સયનું જ વાસ્તવિક અસ્તિત્વ છે .આવો ,આપણે બધા
   હૃદયમાં વિદ્યમાન એ સત્ય-સ્વરૂપ આત્માની ઉપાસના
   કરીએ .



*   હે વીર ! જીવનની વિવિધ અવસ્થાઓની સૂક્ષ્મ
   તપાસ કરીને,મન વડે પરમ સત્યની એ અવસ્થામાં
    દ્રઢતાથી અને સ્થિરતાથી રહીને સદૈવ જગતમાં તારો
    ભાગ ભજવ .તેં બધા પ્રકારના આભાસોના કેન્દ્રમાં સત્યને
    જાણ્યું છે .એ સત્યથી કદી પણ પરાડ્મુખ થયા વિના ,
    જગતમાં આસક્ત હોવાનો દેખાવ કરીને રમતાં રમતાં
      તારી ફરજો બજાવ .


સદવસ્તુનું અસ્તિત્વ ન હોય ,તો એનો વિચાર ઉત્પન્ન થઇ શકે ખરો ?
(સત્યનિષ્ઠ જીવન (અસ્તિત્વ )થી ભિન્ન સત્યજ્ઞાન હોઈ શકે ખરું  ?)
વિચારરહિત સત્ય હૃદયમાં રહે છે ,તો હૃદય નામના તે એક ,અપ્રમેય સત્યને
શી રીતે જાણી શકાય  ?
"તે "ને જાણવું એટલે હૃદયમાં તદ્રૂપ થઈને રહેવું
* આપણે બધા આપણને અને જગતને જાણીએ છીએ ,તેથી એ બંનેના કારણ કે મૂળ
તરીકે એક છતાં અનેક દેખાવાની અચિંત્ય શક્તિવાળા તત્વનો સ્વીકાર અવશ્ય કરવો
જોઈએ ,આ નામરૂપાત્મક જગતરૂપ ચિત્રમાં જે જોવાય છે તે ,જોનાર પરદો અને પ્રકાશ 
_એ બધું "તે " બન્યો છે  .
 * હૃદયકમળમાં  " હું " એમ પ્રકાશતું ચૈતન્ય શુદ્ધ અને નિષ્પંદ છે .
    એમાંથી ઉત્પન્ન થતા અહંકારનો નાશ કરીને એ ચૈતન્ય સ્વયં
    મનુષ્યને મુક્તિનો આનંદ બક્ષે છે .આ વાત નક્કી સત્ય છે ,એવી
    ખાત્રી રાખો .


* શ્રુતિઓ જેને અજન્મા ઈશ્વર તરીકે વણર્વે છે,એ સદા નિર્ગુણ,
   નિરાકાર આત્મા હું છું એ વાત નિસ્સંદેહ છે .


* જેનું અસ્તિત્વ છે ,એને જાણનાર અન્ય જ્ઞાતા નથી .તેથી 
સત્તા જ ચૈતન્ય છે અને આપણે બધા ચૈતન્ય છીએ .

* જો મનુષ્ય પોતાના હૃદયમાં એના પોતાના સાચા સ્વરૂપને 
જાણે,તો એ અનાદિ ,અનંત ,પૂર્ણ સચ્ચિદાનંદ છે .

* જો હું કોણ છું એની તપાસ કરવામાં આવે તો મનુષ્ય પોતે જ  
પૂર્ણરૂપ છે . 

* પોતાનું જે અસ્તિત્વ છે તે આત્માનું જ સ્વરૂપ છે 

*સત્તા અને ચૈતન્યરૂપ "હું ને " અવગણીને ઈશ્વરને શોધવા એ 
હાથમાં દીવો લઈને શોધવા બરાબર છે .
 *  સ્વરૂપ માત્રમાં વિશ્રાંતિ વિના પરમાત્માને જાણવાનું
    બીજું કોઈ પણ સાધન નથી  .

*  જે દ્રશ્ય છે ,તેને જો દ્રશ્યરૂપે જ જો જોવામાં આવે તો
    પરમાત્માની પ્રાપ્તિ તો ઘણે દૂર છે ,દ્રશ્ય જગતમાં
     દ્રશ્યપણાનું માર્જન કરીને જો બ્રહ્મબુદ્ધિ કરવામાં આવે
    તો જ પરમાત્માની પ્રાપ્તિ સુલભ છે  .


*  પોતાને કર્તા માનનારે કર્મફળ ભોગવવું પડે છે .
    પરંતુ આપણે "આ કર્મ કરનાર હું કોણ છું ?"એમ
    પૂછીને આત્માને અનુભવએ , તો કર્તુત્વ લુપ્ત
    થાય છે ,અને ત્રણે કર્મો નષ્ટ થાય છે .આ નિત્ય
    મોક્ષ છે .


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો