રવિવાર, 15 સપ્ટેમ્બર, 2013

ધન્ય એકાદશી

ધન્ય એકાદશી , ધન્ય એકાદશી
એકાદશીનું વ્રત મારે કરવું છે .
મારે ધ્યાન પ્રભુનું ધરવું છે .
તમે વ્રત એકાદશી સમજી લ્યો ,
તમે દિલમાં સાચું વિચારી લો ,
કે ....એકાદશીનું વ્રત કેવું છે ?
દશ એકને દિલમાં વિચારો ,
દશ એ તો દશ ઇન્દ્રિયો ભાળો ,
એ ...દશ વશ કરવા જેવી છે .
મન વશમાં રહે તો દશ વશમાં રહે ,
મન વશમાં ન રહે તો દશ વશ ના રહે
એ ...અગિયારના જોડલા એવા છે ,
રહે વશ અગિયાર સાચી એકાદશી ,
 તેના ઉપર પ્રભુની કૃપા વસી ..
ધન્ય એકાદશી ,ધન્ય એકાદશી ,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો