બુધવાર, 27 મે, 2015

મૌન મુખથી સત્ય સાંભળ કાનમાં,જલસો થશે,
રાખ મીઠો આવકારો આંખમાં, જલસો થશે.

સત્યની રાહે સદાએ ચાલતો રે’જે, કદી-
આવતો નૈ છળકપટની વાતમાં, જલસો થશે.

ખાલી હાથે આગમન તારું,જવાનો ખાલી હાથ,
મોતને પણ તું ભરી લે બાથમાં, જલસો થશે.

શોધવાને બાળપણ ભીતર ભટકવું રે’વા દે,
બાળપણને યાદ કરજે ગામમાં, જલસો થશે.

સાંભળ્યું છે ! મોતી ખારા જળ મહીં જ નીપજે,
આંસુનો દરિયો ધરી લે આંખમાં, જલસો થશે.

જિંદગીના અટપટા રસ્તા ઉકેલી એક’દિ,
પ્હોંચ સીધો તું પ્રભુના ધામમાં, જલસો થશે.

-અશોક વાવડીયા “રોચક”

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો