ગુરુવાર, 19 માર્ચ, 2015

સ્નેહની સાંકળ

મળે જીવનમાં સ્નેહની સાંકળ,પાવન રાહ મળી જાય

મોહમાયાની સાંકળ ભાગતા,જીવને શાંન્તિ મળી જાય

………..નિર્મળ પ્રેમની એક જ કેડીએ,જન્મ સફળ થઈ જાય.

કુદરતની આ અસીમલીલા,કર્મના બંધનથી મેળવાય

શાંન્તિનો સહવાસ જીવનમાં,સત્કર્મોથી જ મળી જાય

કામનામનો નામોહસ્પર્શે,જ્યાંજલાસાંઇની ભક્તિ થાય

માયા ભાગે કળીયુગની,જ્યાં મોહને જીવનમાં તોડાય

………એવી નિર્મળ પ્રેમની કેડી,જીવનો જન્મ સફળ કરી જાય.

આવી આંગણે સુખદુઃખ સ્પર્શે,સાચી ભક્તિએ જ બચાય

પ્રેમ મળે માબાપનો સંતાનને,ના અપેક્ષા કોઇ અથડાય

આશીર્વાદની એક જ રાહે,જીવને રાહ સાચી મળી જાય

પરમાત્માની એકજ કૃપાએ,જીવના કર્મબંધન તુટી જાય

………એવી નિર્મળ  ભક્તિ કરતા,આ જન્મ સફળ થઈ જાય.

- પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો