રવિવાર, 1 ફેબ્રુઆરી, 2015

ચાણક્ય


 જ્ઞાાનના કેન્દ્ર એવા તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં આચાર્ય રહેલા ચાણક્ય રાજનીતિના ચતુર ખેલાડી હતા અને આ જ કારણે તેમની નીતિ કોરા આદર્શવાદ પર નહીં, પરંતુ વ્યાવહારિક જ્ઞાાન પર ટકેલી છે. આ વાત તેમની નીતિઓ પરથી સ્પષ્ટ થાય છે.


– જે મનુષ્ય લેણદેણમાં , વિદ્યા શીખવામાં , જમતી વખતે , વ્યવહારમાં શરમ છોડી દે છે તે જ સુખી થાય છે .

– સંતોષરૂપી અમૃતથી તૃપ્ત મનુષ્યને જે સુખ મળે છે તેવુ સુખ મેળવવા દોડાદોડ કરતા મનુષ્યને પણ નથી મળતી .

– મનુષ્યએ ત્રણ બાબતમાં સંતોષી રહેવું જોઈએ . પત્નીથી મળતા સુખમાં , ભોજનથી , પોતાની પાસે રહેલા ધનથી . આ ત્રણ બાબતથી ક્યારેય સંતોષી ના થઇ જવું . શાસ્ત્રોના અભ્યાસથી , પ્રભુ સ્મરણથી , દાન કરવાથી .
– લોભીને ધન આપી , અભિમાનીને હાથ જોડી , મુરખને તેની ઈચ્છા મુજબ કામ કરી , વિદ્વાન ને યોગ્ય , ન્યાયી વાત જણાવી વશમાં કરવા જોઈએ .

– ખરાબ રાજ્ય હોવા કરતા કોઈ પણ રાજ્ય ન હોય તે સારું . દુષ્ટ મિત્રો કરતા મિત્રો ના હોવા સારા , દુષ્ટ શિષ્યો કરતા એક પણ શિષ્ય ના હોય તે સારું તેવી જ રીતે દુષ્ટ પત્ની હોય તેના કરતા પત્ની ન હોય તે વધુ યોગ્ય ગણાય .
– દુષ્ટ રાજાના શાસનમાં પ્રજા સુખ શાંતિથી કેવી રીતે રહી શકે , ગદાર મિત્રોના સંગમાં આનંદ કેમ મળે , દુષ્ટ પત્નીથી ઘરમાં સુખ કેમ મળે , મૂર્ખ શિષ્યને વિદ્યા આપવાથી ગુરુને યશ કેવી રીતે મળે .

– સિંહ અને બગલામાંથી એક , ગધેડામાંથી ત્રણ , કુકડામાંથી ચાર , કાગળમાંથી પાંચ , કુતરામાંથી છ ગુણ ગ્રહણ કરવા જોઈએ . – મનુષ્ય જે નાના કે મોટા કોઈ પણ કાર્યની શરૂઆત કરે તેમાં તેમણે શરુથી અંત સુધી પૂરી શક્તિ લગાવી દેવી જોઈએ . આ ગુણ સિંહ પાસેથી ગ્રહણ કરવા જોઈએ .

– બગલાની જેમ ઇન્દ્રિયો વશ કરી દેશ , કાળ , બળને જાણી વિદ્વાનો પોતાનું કાર્ય સફળતાપુર્વક પાર પડવું જોઈએ .

– સમયસર જાગવું , યુદ્ધ માટે સદાય તૈયાર , પોતાના શત્રુઓને ભગાડી દેવા , ચોકસાઈ . કુકડામાંથી ગ્રહણ કરવું જોઈએ .

– છુપાઈને મૈથુન , વર્ષો સુધી વસ્તુઓ સંઘરવી , સતત સાવધાન રહેવું , કોઈ પર સમ્પૂર્ણ વિશ્વાસ ન કરવો , મોટેથી બુમો પાડી બધાને ભેગા કરવા . આ ગુણો કાગડામાંથી ગ્રહણ કરવા જોઈએ .

– જયારે ભોજન મળે ત્યારે પેટ ભરી જમવું , ભોજન ન મળે ત્યારે થોડા ભોજનમાંથી સંતોષ કરવો . સારી રીતે ઊંઘવું પણ થોડો સરવરાટ થાય તો જાગી જવું . માલિક પ્રત્યે વફાદાર રહેવું , લડવામાં ગભરાવવું નહિ . -આ ગુણો કુતરા પાસેથી ગ્રહણ કરવા જોઈએ .

– ખુબ જ થાકેલા હોવા છતાં પોતાના માલિક નું સતત કામ કરવું , ટાઢ – તડકો , ગરમી – ઠંડીની ચિંતા કર્યા વગર સદાય જીવન જીવવું જોઈએ . આ ગુણ ગધેડા પાસેથી ગ્રહણ કરવું જોઈએ .

– જે વ્યક્તિ આ વીસ ગુણો શીખી લે છે અને તેનું આચરણ કરે છે તે તમામ કાર્યોમાં સફળતા મેળવે છે . તેને કદી પરાજય નો સામનો થતો નથી .

- જેમ સોનાને ઘસીને, કાપીને, તપાવીને, ટીપીને પરીક્ષા થાય છે તેમ મનુષ્યોની પરીક્ષા તેના ચારીત્ર્ય, ગુણ અને આચાર, વ્યવહાર પરથી થાય છે. - જ્યાં સુધી સંકટ અને આપત્તિ દૂર હોય ત્યાં સુધી બુદ્ધિશાળી લોકો તેનાથી ડરવું જોઈએ, પરંતુ જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે દરેક વ્યક્તિએ પોતાની પૂરી તાકાતથી તેની સામે લડવું જોઈએ અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

-જેમ બોરડીના બોર અને કાંટાના ગુણ સરખા નથી હોતા તેમ એક જ માતાની કુખે જન્મેલા બાળકોના ગુણ, સ્વભાવ અને કર્મ સમાન નથી હોતા.

-વૈરાગીને વિષય પ્રત્યે આસક્તિ નથી હોતી અને નિષ્કામીને સોળે શણગાર સજવાની જરૂર હોતી નથી. વિદ્વાન વ્યક્તિની વાણી મધુર હોતી નથી અને સ્પષ્ટવક્તા ઠગ હોતો નથી.

-અગ્નિ , ગુરુ , ગાય , કુંવારી કન્યા , બ્રાહ્મણ , વૃદ્ધ માણસ અને નાનાં બાળકો – આ બધા સન્માનને પાત્ર છે . તેમને પગ સ્પર્શી ના જાય તેનું ધ્યાન રાખવું જોઈએ .

– ગાડાથી પાંચ હાથ , ઘોડાથી દસ હાથ , હાથીથી સો હાથ દૂર જ રહેવું જોઈએ . દુષ્ટ માણસ થી બચવા સ્થાનનો ત્યાગ કરવો જ યોગ્ય છે .

– હાથીને અંકુશથી , ઘોડાને ચાબુકથી , પશુને લાકડીથી વશમાં કરાય . પણ દુષ્ટ વ્યક્તિ ને વશ કરવા તેનો સંહાર જ કરવો પડે .

– બ્રાહ્મણ ભોજનથી , મોર વાદળના અવાજથી , સજ્જન વ્યક્તિ બીજા વ્યક્તિને સુખી જોઈ પ્રસન્ન થાય છે . પરંતુ દુષ્ટ વ્યક્તિ બીજાને તકલીફમાં જોઈ પ્રસન્ન થાય છે .

– બળવાન શત્રુને અનુકુળ વ્યવહાર કરી , દુષ્ટ શત્રુને પ્રતિકુળ વ્યવહાર કરી અને સમાન બળવાળા શત્રુને વિનય કે શક્તિથી વશ કરવો જોઈએ




    મૂર્ખતા કષ્ટદાયક છે, યૌવન પણ કષ્ટદાયક છે અને બીજાના ઘરે નિવાસ કરવો એ સૌથી વધારે કષ્ટદાયક છે.

     મનુષ્યે દરરોજ એક શ્લોક (વેદમંત્ર), અડધો શ્લોક, એક પાદ અથવા એક અક્ષરનો સ્વાધ્યાય કરવો જોઈએ અને દાન-અધ્યયન વગેરે શુભ કર્મો કરતા દિવસને સફળ બનાવવો, દિવસ વ્યર્થ ન જવા દેવો.

     પત્નીનો વિરહ, પોતાના લોકોથી પ્રાપ્ત અનાદર, બચેલું ઋણ, દુષ્ટ રાજાની સેવા, દરિદ્રતા અને મૂર્ખાઓની સભા. આ બધું અગ્નિ વગર જ શરીરને બાળે છે.

     નદીના કિનારે ઊગેલું વૃક્ષ, બીજાના ઘરમાં જનાર અથવા રહેનારી સ્ત્રી અને મંત્રીઓ રહિત રાજા. આ બધું શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે.

     બ્રાહ્મણોનું બળ તેજ અને વિદ્યા છે, રાજાઓનું બળ સેના છે, વૈશ્યોનું બળ ધન અને પશુપાલન છે તથા શૂદ્રોનું બળ સેવા છે.

     વેશ્યા નિર્ધન મનુષ્યને, પ્રજા પરાજિત રાજાને, પક્ષી ફળ રહિત વૃક્ષને અને અતિથિ ભોજન કરીને ઘરને છોડી દે છે.

     બ્રાહ્મણ દક્ષિણા લઈને યજમાનને, શિષ્ય વિદ્યાપ્રાપ્તિ પછી ગુરુને અને પશુ સળગતા વનને ત્યાગી દે છે.

      મનુષ્યે દુરાચારી, કુદૃષ્ટિવાળા, ખરાબ સ્થાનમાં રહેનાર અને દુર્જન મનુષ્યની સાથે મિત્રતા ન કરવી, કારણ કે તેમની સાથે મિત્રતા કરનાર મનુષ્ય જલદી નષ્ટ થઈ જાય છે.

     પ્રેમ બરાબરીવાળા લોકોમાં સારો લાગે છે, સેવા-નોકરી રાજાઓ (સરકાર)ની ઉત્તમ હોય છે, વ્યવસાયોમાં વેપાર સર્વોત્તમ છે અને ઉત્તમ ગુણોવાળી સ્ત્રી ઘરમાં સુશોભિત હોય છે.

     કોના કુળમાં દોષ નથી? રોગે કોને નથી પજવ્યા? આપત્તિઓ અને કષ્ટ કોના પર નથી આવ્યાં? હંમેશાં સુખ કોને મળે છે?

     મનુષ્યના આચાર તેના કુળ-શીલને, વિચાર તેના દેશને, માન-સન્માન તેના પ્રેમને અને શરીર તેના ભોજનને પ્રગટ કરે છે.

     કન્યા સર્વશ્રેષ્ઠ કુળમાં આપવી જોઈએ, પુત્રને વિદ્યાભ્યાસમાં લગાવવો જોઈએ, શત્રુને આપત્તિ અને કષ્ટોમાં નાખવો જોઈએ તથા મિત્રને ધર્મકાર્યોમાં વાળવો જોઈએ.

     દુર્જન અને સર્પ- આ બંનેમાં સાપ સારો છે, દુર્જન નહીં, કારણ કે સાપ તો એકાદ વાર જ ડંખે છે, પરંતુ દુર્જન ડગલે ને પગલે હાનિ પહોંચાડે છે.

     રાજા પોતાની પાસે કુલીન લોકોનો સંગ્રહ એટલા માટે કરે છે, કારણ કે ઉન્નતિ અને અવનતિ, ઉત્કર્ષ અને વિપત્તિ, જય અને પરાજય એમ કોઈ પણ અવસ્થામાં તેઓ રાજાને છોડતા નથી. તેઓ હંમેશા રાજાનો સાથ આપે છે.
http://www.janvajevu.co

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો