સોમવાર, 3 માર્ચ, 2014

ડરો છો કેમ બદલાવથી ?
સુખદુખના આવજાવથી ?

આવશે સમય પણ તમારો,
બદલી નાંખોને પ્રભાવથી.

લડશો તો જીતશો જીવન,
નહીં ગભારાશો અભાવથી.

લડવૈયાની નિશાની છે તે,
બીવો છો શું આ ઘાવથી,

રચી દુનિયા પ્રભુએ પ્રેમથી,
ને સજાવી છે ધૂપછાંવથી.
~અખ્તર ખત્રી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો