શનિવાર, 12 ઑક્ટોબર, 2013

હે શુદ્ધ સ્વરૂપ ! જો પાંચ મહાભૂતો,બધા પ્રાણીઓ અને
બધી વ્યક્ત થયેલી વસ્તુઓ સર્વગ્રાહી તમારા પ્રકાશ
સિવાય બીજું કંઈ ન હોય તો હું એકલો જ આપનાથી
અલગ કેવી રીતે હોય શકું ? તમે દ્વૈત વગર હૃદયમાં
એક આકાશની જેમ પ્રકાશો છો તો હું એનાથી જુદો બનીને
શી રીતે અસ્તિત્વમાં આવી શકું ? અહંકાર જયારે પણ
માથું ઉચકે,ત્યારે એની ઉપર તમારા ચરણકમળની
સ્થાપના કરતા પ્રગટ થાઓ .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો