શનિવાર, 22 જૂન, 2013

કિસ્મત કયારેય કમ નથી
પણ સમય ખરાબ હોય છે

વત્તુ કે ઓછુ બધા ને મળતુ
કિસ્મત મહેરબાન હોય છે

પ્રયાસ જો પૂરતો જ હોય તો
વિફળતા માત્ર પડાવ હોય છે

કર્મ કર ધર્મ ના સિધ્ધાંત પર
હાર જીત માત્ર બનાવ હોય છે

જંગ ને જીતવા બધા મથે છે
જીત જેની તેનુ નામ હોય છે

કહે ગીતા કૃષ્ણ ની સાંભળ
હાર તેની જે નિરાશ હોય છે
--સંજય રાજયગૂરુ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો