સોમવાર, 9 ફેબ્રુઆરી, 2015

શ્રી ભરતભાઈ વાઘેલાની રચનાઓ


                               શ્રી ભરતભાઈ વાઘેલાની રચનાઓ 
 વાત નહી વહેવાર ચુકયો છું,
માણસ છું તહેવાર ચુકયો છું.
જીવન છે કદી સુખ દુ:ખ આવે,
સમજણમાં બધીવાર ચુકયો છું.
જીવી લે હજૂ જીવતર સરસ આ,
કૂડ કપટ કરી દ્વાર ચુકયો છું.
જૂઠાણુંય કેવુંય બોલતો તું,?
જીવનનો જ રણકાર ચુકયો છું.
ઈશ્ર્વર ની અમુલી કૃતિ છે તું,
માણસ છું ? આભાર ચુકયો છું.

© ભરત વાઘેલા.૦૪૦૨૧૫
.................................................
આ મન મારું કેમ મરકટ છે,?
તોયે સુરજ જેમ પરગટ છે.

હોયે નયનો બંધ ત્યારે એ,
દુનિયામાં એમ ઘટઘટ છે.

પાણીથી એ પાતળું હોયે,
ઈશ્વર સ્મરણે કેમ ખટપટ છે ?

લીલો,ઘેરો લાલ જોવે તો,
જાણે બાળક જેમ નટખટ છે.

એ ભોગી કે યોગી બને છે,
જો વાળો તો રામ પનઘટ છે.


® ભરત વાઘેલા .070215
..........................................
પૈસાની પાછળ વહી જાય છે બધા લોકો,
મળે જો મફત એ લેવા હરખ નથી મળતો.

કિસ્મતમાં હોય છતાં ભાગતું રહે હૈયું,
નમતી નિશામાંય સાચો હરખ નથી મળતો.


© ભરત વાઘેલા.270115
..........................................................
હાથ ઉપર હાથ ચડાવી બેઠો છું,
જીવનના ભેદ મટાવી બેઠો છું.

પાપ પૂણ્ય આવે સાથે માનો છો?,
વેદ વદે એ સમજાવી બેઠો છું.

વાત વાતમાં ભગવાન બની કે'તો,
જગત,ભગત, નામ હટાવી બેઠો છું.

ધામ,ધરમ,ધીરજ ને કોણે માન્યો,?
શાસ્ત્રોના ઈશ્ર્વર જગવી બેઠો છું.

'ભરત' ભાગ્ય સાથ લઈને ચાલ્યો તો,
ભાગ્યોદય સાદ લગાવી બેઠો છું.!!


© ભરત વાઘેલા.250115
.........................................................
ચાહત આપશો ને,તો અમે ગગન આપશું,

હૈયું આપશો ને,તો અમે ચમન આપશું,

જીવન માં હશો હે, દોસતો હમેશા તમે,

નફરત આપશો ને,તો અમે નમન આપશું.!!


© ભરત વાઘેલા.311214
.........................................................
કોઈ જાણતું નથી...

બોલે છે છતાં નામ, કોઈ જાણતું નથી,
સાચું કદી એ ધામ, કોઈ જાણતું નથી.!!

ખબરોના હાવ-ભાવના, દાડા વહી ગયા,
જાતે વાવ્યું એ કામ , કોઈ જાણતું નથી.!!

જાગે છે ભાવ રોજ , દેવાલયના દ્વારના,
સુતી છે શક્તિ તમામ, કોઈ જાણતું નથી.!!

નાણાંનો ભાર થાયને, મૂકયા ગોવિંદ ને,
રે'તો માનવ દમામ , કોઈ જાણતું નથી.!!

આ મરણ પથ છે,'ભરત' અહી વેરભાવ શું,?
બે ફિકર લે જીનામ, કોઈ જાણતું નથી.!!


® ભરત વાઘેલા.131214
...........................................................
વિચારોને પીલીને શબ્દોનું રસપાન કરુ છું;
જીવનના ઊતારે હું ધરમનું આચમન કરુ છું;

પ઼ેમી હૃદયે પોકારી,કરમના ભાર હરવા ને,
જીવનના દરવાજે હું,કરમનું એ ચયન કરુ છું.!!

© ભરત વાઘેલા.
............................................................
 ખુદાની મહેરબાની છે કે, હૈયામાં ઉર્મી જાગી,
કે જ્યાં તકદીર જાગી જાય છે, દીદાર થઇ જાયે,

હવે જાણ્યા કર્યું છે કે, ડગરની પણ સજા સહીએ,
ને જો ભાગો તો, એ નગર જ ખુદ ગંભીર થઇ જાયે,

કશું સમજો નહિ તોયે, બસ ! માણ્યા કરો સૌને,
સલામત વિષયો જયારે, જોને જંજીર થઇ જાયે,

ઇબદાતના એ મારગનો ઈરાદો પણ કરે કોઈ,
નજારો ખુદાનો પણ નજરે ચડે ને, ધીર થઇ જાયે,

જીવન છે શું ? બસ ! શ્વાસા આ બે પાંચ માયામાં,!
મરણ એ છે કે,જયારે શ્વાસાય લાચાર થઇ જાયે,


© ભરત વાઘેલા .170215
....................................................
કોઈ જાણતું નથી...

બોલે છે છતાં નામ, કોઈ જાણતું નથી,
સાચું કદી એ ધામ, કોઈ જાણતું નથી.!!

ખબરોના હાવ-ભાવના, દાડા વહી ગયા,
જાતે વાવ્યું એ કામ , કોઈ જાણતું નથી.!!

જાગે છે ભાવ રોજ , દેવાલયના દ્વારના,
સુતી છે શક્તિ તમામ, કોઈ જાણતું નથી.!!

નાણાંનો ભાર થાયને, મૂકયા ગોવિંદ ને,
રે'તો માનવ દમામ , કોઈ જાણતું નથી.!!

આ મરણ પથ છે,'ભરત' અહી વેરભાવ શું,?
બે ફિકર લે જીનામ, કોઈ જાણતું નથી.!!

® ભરત વાઘેલા.131214
..........................................................
વિચારોને પીલીને શબ્દોનું રસપાન કરુ છું;
જીવનના ઊતારે હું ધરમનું આચમન કરુ છું;

પ઼ેમી હૃદયે પોકારી,કરમના ભાર હરવા ને,
જીવનના દરવાજે હું,કરમનું એ ચયન કરુ છું.!!

© ભરત વાઘેલા.

..........................................................
જીવને આજે તેનું સરનામું કહીએ,?
નામ ને ભૂલી ,નિજનામ તો કહીએ,!

હે,સમય !થોડો થોભીસ?,હવે તો માની જા;
ખુદ ને ખુદા નું જ, ધામ તો કહીએ.!!
® ભરત વાઘેલા..100714
.............................................................

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો