અંગત વિચાર છે
એના વિશેની ધારણા, અંગત વિચાર છે !એ છે અણુ એથી જ તો એ દુર્નિવાર છે !
એ છે સ્વયં નિર્માણ અને ખુદ ઉભાર છે !
એ તત્વ બીજું કંઇ નથી ક્ષણનો પ્રસાર છે !
એની સમસ્ત યોજના સમજી લીધા પછી,
થાશે તને, છે જે બધું એ બે-સુમાર છે !
જે કંઇ પરોક્ષભાવથી દર્પણમાં તું જુએ છે,
એનું કથન કરવા જતાં શું નિર્વિકાર છે ?
તું મંદ છે ને આ સમય દોડે છે શ્વાસભેર,
બસ એ રીતે આખું જગત એનો શિકાર છે !
-વીરુ પુરોહિત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો