મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2015

અંગત વિચાર છે -વીરુ પુરોહિત

અંગત વિચાર છે

એના વિશેની ધારણા, અંગત વિચાર છે !
એ છે અણુ એથી જ તો એ દુર્નિવાર છે !

એ છે સ્વયં નિર્માણ અને ખુદ ઉભાર છે !
એ તત્વ બીજું કંઇ નથી ક્ષણનો પ્રસાર છે !

એની સમસ્ત યોજના સમજી લીધા પછી,
થાશે તને, છે જે બધું એ બે-સુમાર છે !

જે કંઇ પરોક્ષભાવથી દર્પણમાં તું જુએ છે,
એનું કથન કરવા જતાં શું નિર્વિકાર છે ?

તું મંદ છે ને આ સમય દોડે છે શ્વાસભેર,
બસ એ રીતે આખું જગત એનો શિકાર છે !

-વીરુ પુરોહિત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો