પુષ્ઠો
▼
કિસ્મત કયારેય કમ નથી
પણ સમય ખરાબ હોય છે
વત્તુ કે ઓછુ બધા ને મળતુ
કિસ્મત મહેરબાન હોય છે
પ્રયાસ જો પૂરતો જ હોય તો
વિફળતા માત્ર પડાવ હોય છે
કર્મ કર ધર્મ ના સિધ્ધાંત પર
હાર જીત માત્ર બનાવ હોય છે
જંગ ને જીતવા બધા મથે છે
જીત જેની તેનુ નામ હોય છે
કહે ગીતા કૃષ્ણ ની સાંભળ
હાર તેની જે નિરાશ હોય છે
--સંજય રાજયગૂરુ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો