પુષ્ઠો

યોગવશિષ્ઠ મહા રામાયણ

* દુઃસહ અને સંસારના ઝેરના આવેશથી થયેલો

વિષૂચિકાનો રોગ પવિત્ર આત્મબોધરૂપી

ગારૂડીમંત્રથી જ શાંત થાય છે .

* શમ , વિચાર , સંતોષ અને સાધુઓનો સમાગમ

એ ચાર મોક્ષના દ્વારમાં દ્વારપાળ કહેવાય છે .એ

ચારમાંથી એક કે બેનું પણ યત્નપૂર્વક સેવન કરવું

જોઈએ કારણ કે તેઓ મોક્ષરૂપી રાજમહેલનું

બારણું ઉઘાડી દે છે .


 * જે માણસો અવિવેકી તથા દુઃસંગમાં રુચિવાળા

હોય તેમનાથી હમેશાં દૂર રહેવું જોઈએ .


* સંસારમાં પુરુષ જ્યારે મોક્ષનો ઉપાય વિચારવામાં


પ્રવુતિ કરે છે ત્યારે તે પુરુષ મોક્ષનો અધિકારી કહેવાય .


  ** પરમાત્માનું સ્વરૂપ **
                


* જીવતાં છતાં દ્રશ્યનો અને મનનો ત્યાગ કરી દેતાં
મનની સ્વરૂપની જે પર અને શાંત સ્થિતિ રહે છે;તે
પરમાત્માનું સ્વરૂપ છે .


*બુદ્ધિની વૃત્તિના ,પદાર્થોના સ્ફુરણના ,પદાર્થોના તથા
અજ્ઞાનના સાક્ષીરૂપ અને આદિ- અંત વગરનું જે જ્ઞાન
છે ,તે પરમાત્માનું સ્વરૂપ છે .


*પ્રમાતા,પ્રમાણ અને પ્રમેય એ ત્રણે જેમાં ઉદય પામે છે ,
અને જેમાં અસ્ત પામે છે ,તે પરમ દુર્લભ તે પરમાત્માનું
સ્વરૂપ છે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો