પુષ્ઠો

સોમવાર, 2 ફેબ્રુઆરી, 2015

સ્વામી રામતીર્થના સુવાક્યો

* સાચા શિક્ષણનો અર્થ એ છે કે ઈશ્વરની આંખોથી બધી
  વસ્તુઓ જોતા શીખવું.

* બીજાઓનો દોષ ન કાઢવો એ બીજાઓને જેટલો નથી બચાવતો
  તેટલો જ આપણને બચાવે છે.

*  જે પોતે જ પોતાની જાતને ઉપદેશ આપે છે તે જ ઉન્નતિ કરી શકે છે.
*  દુન્યવી વસ્તુઓમાં સુખની ખોજ વ્યર્થ છે,
   આનંદનો ખજાનો તમારી અંદર છે.

* દેખાવનો  પ્રેમ, જૂઠી ભાવના અને કુત્રિમ ભાવુકતા એ બધા
  ઈશ્વરના અપમાનનાં સાધનો છે.

* આસક્તિ રૂપી રાક્ષસનો નાશ કર્યો એટલે ઇચ્છિત વસ્તુઓ
  તમારી પૂજા કરવા માંડશે.


- સ્વામી રામતીર્થ



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો