!!!!!!!!!!!!.. શ્રી રમણ મહર્ષિ ......!!!!!!!!!!!!
હું કોણ છું ?
*તમારી સહજ અવસ્થામાં રહો
* મૌનના હૃદયમાં ઉત્પન્ન થતી વાણી અનુગ્રહની અવસ્થા છે .
હે દિવ્ય શંકર
આપ દ્રષ્ટા અને દ્રશ્યનું જ્ઞાન ધરાવતા પરમ દ્રષ્ટા છો .
મારી અંદર દ્રશ્ય સાથે જોડાયેલા દ્રષ્ટાનો નાશ કરો .
કારણ કે એ રીતે મનમાં કેવળ શિવ તરીકે પ્રકાશ ઉત્ત્પન્ન થાય છે
* જેમાં સંપૂર્ણ વિશ્વ સ્થિરતાપૂર્વક રહે છે,જે બધા લોકોનો
માલિક છે ,જેનાથી બધા લોકો ઉત્પન્ન થાય છે,જેને કારણે
આ બધા લોકો સત્તા પ્રાપ્ત કરે છે અને જે સર્વરૂપ છે, કેવળ
એ સયનું જ વાસ્તવિક અસ્તિત્વ છે .આવો ,આપણે બધા
હૃદયમાં વિદ્યમાન એ સત્ય-સ્વરૂપ આત્માની ઉપાસના
કરીએ .
* હે વીર ! જીવનની વિવિધ અવસ્થાઓની સૂક્ષ્મ
તપાસ કરીને,મન વડે પરમ સત્યની એ અવસ્થામાં
દ્રઢતાથી અને સ્થિરતાથી રહીને સદૈવ જગતમાં તારો
ભાગ ભજવ .તેં બધા પ્રકારના આભાસોના કેન્દ્રમાં સત્યને
જાણ્યું છે .એ સત્યથી કદી પણ પરાડ્મુખ થયા વિના ,
જગતમાં આસક્ત હોવાનો દેખાવ કરીને રમતાં રમતાં
તારી ફરજો બજાવ .
સદવસ્તુનું અસ્તિત્વ ન હોય ,તો એનો વિચાર ઉત્પન્ન થઇ શકે ખરો ?
(સત્યનિષ્ઠ જીવન (અસ્તિત્વ )થી ભિન્ન સત્યજ્ઞાન હોઈ શકે ખરું ?)
વિચારરહિત સત્ય હૃદયમાં રહે છે ,તો હૃદય નામના તે એક ,અપ્રમેય સત્યને
શી રીતે જાણી શકાય ?
"તે "ને જાણવું એટલે હૃદયમાં તદ્રૂપ થઈને રહેવું
* આપણે બધા આપણને અને જગતને જાણીએ છીએ ,તેથી એ બંનેના કારણ કે મૂળ
તરીકે એક છતાં અનેક દેખાવાની અચિંત્ય શક્તિવાળા તત્વનો સ્વીકાર અવશ્ય કરવો
જોઈએ ,આ નામરૂપાત્મક જગતરૂપ ચિત્રમાં જે જોવાય છે તે ,જોનાર પરદો અને પ્રકાશ
_એ બધું "તે " બન્યો છે .
* હૃદયકમળમાં " હું " એમ પ્રકાશતું ચૈતન્ય શુદ્ધ અને નિષ્પંદ છે .
એમાંથી ઉત્પન્ન થતા અહંકારનો નાશ કરીને એ ચૈતન્ય સ્વયં
મનુષ્યને મુક્તિનો આનંદ બક્ષે છે .આ વાત નક્કી સત્ય છે ,એવી
ખાત્રી રાખો .
* શ્રુતિઓ જેને અજન્મા ઈશ્વર તરીકે વણર્વે છે,એ સદા નિર્ગુણ,
નિરાકાર આત્મા હું છું એ વાત નિસ્સંદેહ છે .
* જેનું અસ્તિત્વ છે ,એને જાણનાર અન્ય જ્ઞાતા નથી .તેથી
સત્તા જ ચૈતન્ય છે અને આપણે બધા ચૈતન્ય છીએ .
* જો મનુષ્ય પોતાના હૃદયમાં એના પોતાના સાચા સ્વરૂપને
જાણે,તો એ અનાદિ ,અનંત ,પૂર્ણ સચ્ચિદાનંદ છે .
* જો હું કોણ છું એની તપાસ કરવામાં આવે તો મનુષ્ય પોતે જ
પૂર્ણરૂપ છે .
* પોતાનું જે અસ્તિત્વ છે તે આત્માનું જ સ્વરૂપ છે
*સત્તા અને ચૈતન્યરૂપ "હું ને " અવગણીને ઈશ્વરને શોધવા એ
હાથમાં દીવો લઈને શોધવા બરાબર છે .
* સ્વરૂપ માત્રમાં વિશ્રાંતિ વિના પરમાત્માને જાણવાનું
બીજું કોઈ પણ સાધન નથી .
* જે દ્રશ્ય છે ,તેને જો દ્રશ્યરૂપે જ જો જોવામાં આવે તો
પરમાત્માની પ્રાપ્તિ તો ઘણે દૂર છે ,દ્રશ્ય જગતમાં
દ્રશ્યપણાનું માર્જન કરીને જો બ્રહ્મબુદ્ધિ કરવામાં આવે
તો જ પરમાત્માની પ્રાપ્તિ સુલભ છે .
* પોતાને કર્તા માનનારે કર્મફળ ભોગવવું પડે છે .
પરંતુ આપણે "આ કર્મ કરનાર હું કોણ છું ?"એમ
પૂછીને આત્માને અનુભવએ , તો કર્તુત્વ લુપ્ત
થાય છે ,અને ત્રણે કર્મો નષ્ટ થાય છે .આ નિત્ય
મોક્ષ છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો